Today

ગાંધીનગર બિરસા ભવન માં આદિજાતિ મંત્રી ની શિક્ષણ વિભાગ ના મંત્રી સાથે થઇ બૈઠક

રિપોર્ટ જયંતિ ગમાર

આજરોજ આપના આદિજાતિ મંત્રી અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમાન કુબેરભાઈ ડીંડોર સાહેબ ની અધ્યક્ષતામાં આપણા આદિવાસી સમુદાયના પડતર પ્રશ્નો જેવા કે પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિ, ફિસીf કાર્ડ, રોસ્ટર પદ્ધતિ પોઇન્ટ રાજ્ય અને જિલ્લા કક્ષાની, જીપીએસસી ક્લાસ 2,3 ભરતી પ્રક્રિયા માં અનામત રેશિયો પ્રમાણે સીટ ફાળવણી, એમબીબીએસ પ્રવેશ પદ્ધતિમાં સરળીકરણ, કટ આઉટ માર્ક, ગ્રામ સેવકની ભરતી પ્રક્રિયા ની જેમ પોલીસ ભરતી પ્રક્રિયા ના નિયમો કરવા.

આદિવાસી સમુદાય માટે ગાંધીનગર ખાતે બિરસાભવન ઓફિસ ખાલી કરી આદિવાસી સમુદાય ને ફાળવવું એવા અગત્યના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી તથા શિક્ષણ અને અન્ય ખાતાને લગતા પેટા પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા.


ઉપરોક્ત તમામ પ્રશ્નો બંને શિક્ષણ મંત્રીએ સાંભળ્યા હતા અને સાથે આપણા આદિવાસી સમાજના પાંચ મંત્રીઓ પણ હાજર રહ્યા. અને તે વિભાગના સચિવ પણ હાજર રહ્યા હતા ઉપરોક્ત તમામ પ્રશ્નો ટૂંક સમયમાં કેબિનેટમાં રજૂ કરી હકારાત્મક પરિણામ મળશે તેવી ખાતરી આપી હતી. અંતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય ના પ્રમુખશ્રી ડોક્ટર પ્રદીપભાઈ ગરાસીયા સાહેબે હાજર રહેલ મંત્રીશ્રીઓનો અને હાજર રહેલ તમામ જિલ્લાઓના પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *