પોશીના તાલુકાના દેલવાડા વિસ્તારના 5 નંગ BSNL ટાવરો શોભાના ગાંઠીયા જેવા

શું કોઈ રણી કે ધણી ખરો ??
રિપોર્ટ- જયંતિભાઈ ‌ગમાર – સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દેલવાડા વિસ્તારમાં બનાવવામાં આવેલ બી એસ, એન, એલ, ટાવરો ઘણા લાંબા સમયથી કાર્યરત નથી થયા. આ bsnl ની કામગીરી ઘણા સમયથી ખોરવાઈ ગયેલી છે, તો આનો જવાબદાર ધણી કોણ તેવું આ વિસ્તારના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બી એસ એન એલ નું નેટવર્ક ના હોવાને કારણે આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. ટ્રાયબલ વિસ્તાર હોવાના કારણે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આંખ આડા કાન કરે છે.આવી ગંભીર સમસ્યાને ધ્યાને કોઈપણ અધિકારી કે કોઈપણ પ્રતિનિધિ લેવા તૈયાર નથી.આમ જનતાને કેટલું સહન કરવું પડે તેવા સંજોગો સામને ઉભા છે, આ બીએસએનએલ નેટવર્કિંગ નું કામગીરી ની બેદરકારી ઘણા સમયથી લોકો જોઈ રહ્યા છે. એક બાજુ વિકાસની વાતો થતી હોય તો નેટવર્કિંગની સુવિધા ઉપલબ્ધ કેમ નહીં ? અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો માહોલ ના કારણે આમ જનતા ના મનમાં અનેક સવાલો પેદા થાય છે.તો ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા દેલવાડા વિસ્તારના તમામ ટાવરો ની કામગીરી હાથ ધરાય અને ચાલુ થાય તેવી આ વિસ્તારની જનતાને ખૂબ જ ગંભીર રીતે ની માગણી છે. હવે જોવુ એ રહયુ કે bsnl ટાવર શરૂ થશે કે નહી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *