રિપોર્ટ – દિનેશ ગમાર 4/6/2025
મૂળ રાજસ્થાન કોટડા તાલુકા,મડવાળ ગામ ના અને હાલ ખેડબ્રહ્મા તાલુકાના ચાંગોદ ગામમાં રહેતા કરમાંભાઈ પારગીની 3 વર્ષ ની નાની દીકરી કીર્તિ નું અપહરણ ગત શનિવારે ખેડબ્રહ્મા માતાજી મંદિર ધર્મશાળા પાસેથી થયું હતું.

અપહરણકર્તા દ્વારા આજ રોજ તે બાળકી ને વેચવા માટે ખેડબ્રહ્મા થી અંબાજી રોડ પર મેંત્રાલ સોદો થનાર છે તેવી બાતમી ના આધારે આજરોજ તેં બાળકી સાથે અપહરણકર્તા ને રંગે હાથ પકડી પોલીસ ના હવાલે કરવાની તજવીજ કરવામાં આવી રહી છે..
